સમર્પીત ગ્રુપ જૂનાગઢ દ્વારા ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ ની RTO કચેરીએ ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

‘સમર્પિત ગૃપ’ જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વોની ઉજવણીના ભાગ રૂપે તા. ૧૫-૦૮-૨૦૨૨ નાં રોજ ભારતના ૭૬ માં સ્વાતંત્ર્ય દિવસની પુરા આન બાન અને શાન સાથેની ઉજવણી આર.ટી.ઓ કચેરી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. આ તકે આર.ટી.ઓ. ઓફીસર IMV આર.આય.ચાવડા તથા આર.ટી.ઓ કચેરી માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ નોબલ યૂનિર્વસીટી ના પ્રોફેસર શ્રીમતી હિરાબહેન રાજવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આર.ટી.ઓ. ઓફીસર આર.આય.ચાવડા તથા શ્રીમતી હિરાબેન દ્વારા આર.ટી.ઓ. કચેરી માં તિરંગો લહેરાવામાં આવ્યો હતો. આ તકે સૌએ તિરંગાને વંદન કરી રાષ્ટ્રગાન કર્યું હતું તથા ‘ભારત માતા કી જય – વંદે માતરમ – આઝાદી અમર રહો જેવા નારાઓથી સમગ્ર વાતાવરણ ને દેશભક્તિમય બનાવ્યું હતું ધ્વજવંદન બાદ આર.ટી.ઓ. ઓફીસર આર.આય.ચાવડા સંપુર્ણ દેશવાસીઓને ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વ ની શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે સમર્પિત ગૃપ ના વાઇસ પ્રેસિડેન્ટ તથા ચેલેન્જ સ્કેટ એકેડમીના સ્થાપક એવા પરાગભાઈ કારીયા ને ઈન્ટર નેશનલ લેવલે મળેલા બેસ્ટ સ્કેટીંગ કોચ ના અવોર્ડ માટે ઉપસ્થિત સહુ એ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ અધિકારીઓ દ્વારા ગીફ્ટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા

કાર્યક્રમ નાં અંતે સમર્પિત ગ્રૃપ નાં પ્રેસિડેન્ટ ચેતનભાઈ રૂપારેલીયા એ આભાર વિધી કરી અને અંતે સહુએ મોં મીઠા કરી છુંટા પડ્યા.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment